તને છોડીને જવાનું હશે,
ત્યારે જરૂર કંઇક થવાનું હશે.
વીતેલા એ અવિસ્મરણીય દિવસો,
ગુજારેલી એ મીઠી રાતો!
બાળપણથી જવાનીની,
સાથે વીતાવેલી એ સફર;
લોકો કરી ગયા છે જેની કદર.
ક્યાં ખબર હતી એવી,
કે એક 'દિ' છુટશે સંગાથ તારો;
અને મળી જશે કોઈ નવો આરો.
હૈયામાં છે વ્યથા - કંઇક ભાર,
છતાં પણ જાણે નવા શમણા નો ઉજાસ!
ભગવાનની સરવાળા-બાદબાકી,
જે ઘરમાં જોઈ-અનુભવી હતી.
ખ્યાલ ન્હોતો એવો કે .......
એને શું આજે વીસરી જવાશે!
-કમલ અંબાલિયા-
1 comment:
ખુબ જ સંવેદનશીલ રજૂઆત! keep write it!!
Post a Comment